Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના તમામ નગરપાલિકા વિસ્તારમાં એક 'કૃષ્ણવડ'ના વૃક્ષારોપણનું અભિયાન

પાટણ ન.પા.ના ચીફ ઓફિસર દ્વારા

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૦ઃ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વડાપ્રધાનના 'એક પેડ માઁ કે નામ' સૂત્રને સાર્થક કરવા રાજ્યના તમામ નગરપાલિકા વિસ્તારમાં એક 'કૃષ્ણ વડ'નું વૃક્ષારોપણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

તા. ર૭ ઓગસ્ટે આ અભિયાન ડાકોર (કૃષ્ણભૂમિ) થી શરૂ કર્યું અને હવે આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અભિયાન પૂર્ણ થશે.

સલાયામાં પાળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં હિરલબેન ઠાકરે કૃષ્ણવડનું વૃક્ષારોપણ કર્યું ત્યારે સલાયાના 'નોબત'ના પ્રતિનિધિ આનંદ લાલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૪ જ કૃષ્ણવડના વૃક્ષ હતાં. કૃષ્ણવડનું વૃક્ષ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલું છે. બાળલીલા દરમિયાન કાનો આ વૃક્ષ ઉપર બેસી માખણ આરોગતા હતાં.

આ વૃક્ષના રોપા વન વિભાગના સહકારથી દક્ષિણ ભારતમાંથી મંગાવ્યા હતાં. હવે સમગ્ર ગુજરાતમાં તમામ ન.પા. વિસ્તારમાં હિરલબેન ઠાકરના પ્રયાસોથી એક 'કૃષ્ણવડ'ની ભેટ મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh