Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરની નજીકમાં શૌચાલય નિર્માણની ટ્રસ્ટીની જાહેરાત
જામનગર તા. ૧૦ઃ દ્વારકા નજીકના જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મંદિર પરિસરમાં જ પૂજારી પરિવાર દ્વારા દુકાનો ખોલી નાખવામાં આવી હતી. આ અંગે રજૂઆતો કરવામાં આવતા એસ.ડી.એમ. દ્વારા દુકાનો બંધ કરાવાઈ છે. પરિણામે દર્શનાર્થીઓને રાહત મળી છે.
સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દુકાનો ખડકી દેવામાં આવતા યાત્રાળુઓ, દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયથી યાત્રાળુઓ દ્વારા આ બાબતે ફરિયાદો કરવામાં આવતી હતી.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાજપરા સહિતના ગામના સરપંચો સહિતનાઓ દ્વારા એસ.ડી.એમ. સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રાંત અધિકારીએ રૂબરૂ મંદિરમાં પહોંચી જઈ તમામ દુકાનો બંધ કરાવી હતી.
ઉપરાંત મંદિર નજીક જાહેર શૌચાલય બનાવવામાં આવશે તેમ પણ ટ્રસ્ટીઓ દ્વારા જાહેર કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial