Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટના બે સંચાલકને બે-બે વર્ષની સખત કેદસજા

રૂા.૫૦ હજાર વળતર પણ ચૂકવવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગરના રામનગર પાસે આવેલા એક આર.ઓ. પ્લાન્ટમાંથી થોડા મહિનાઓ પહેલાં વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ વીજચોરી પકડી પાડયા પછી પ્લાન્ટના બે સંચાલક સામે ફોજદારી કરાઈ હતી. બંને આસામીને અદાલતે બે-બે વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરના રામનગર વિસ્તારમાં થોડા સમય પહેલાં વીજ કંપનીની ચેકીંગ ટૂકડી દ્વારા કરવામાં આવી રહેલા ચેકીંગ દરમિયાન ત્યાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટમાં ચકાસણી કરાતા ત્યાં વીજ મીટર બાયપાસ કરી વીજચોરી કરાતી હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આર.ઓ. પ્લાન્ટવાળા નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાને પુરવણી બીલ આપી તેમની સામે ઈલેકટ્રીક સિટી એકટની કલમ ૧૩૫ હેઠળ જીયુવીએનએલ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ વીજ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષ તરફથી દસ સાક્ષીઓની જુબાની અને અઢાર દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે બંને આરોપીને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની સખત કેદ અને રૂા.૧ હજાર દંડ ફટકારવા ઉપરાંત રૂા.૫૦ હજાર વળતર પેટે વીજ કંપનીને ચૂકવી આપવા આરોપીઓને હુકમ કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ રાજેશ વશીયર અને સરકાર તરફથી પીપી ડી.આર. ત્રિવેદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh