Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ્સો જેટલા દીકરા-દીકરીઓ ઉતસાહેભર ભાગ લીધોઃ
જામનગર તા. ૧૮: સંસ્થાના પ્રમુખ શ્રી જીવનભાઈ એમ. નકુમના અધ્યક્ષસ્થાને તાજેતરમાં સતવારાસમાજ પોટરી ગલી, જામનગરમાં ઝંકાર નવરાત્રિ મહોત્સવઅર૦રપ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હરિદ્વાર સતવાા સમાજના પ્રમુખ શ્રી માવજીભાઈ પી. નકુમ તેમજ હોટલ કંકુ અને હોટલ રૂદ્રાક્ષવાળા શૈલેશભાઈ ગોવિંદભાઈ પરમાર આ બન્ને આગેવાન મુખ્ય દાતા હતાં તેમજ સતવારા સમાજ-જામનગરના પ્રમુખ જમીનભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં.
આ મહોત્સવમાં સમાજના કુલ ર૦૦ જેટલા દીકરા-દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને બહોળી સંખ્યામાં જામનગર શહેર અને તાલુકાના જ્ઞાતિજનો ઉપસ્થીત રહ્યા હતાં, જેમાં સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ તેગા પ્રિસ-પ્રિન્સેસ તેમજ અન્ય કુલ ૪૦ જેટલા સ્પર્ધકોને ભેદ-સોગાદ આપવામાં આવ્યું હતું, જેમાં 'ઓપરેશન સિંદૂર' ઉપરની થીમ પરથી બાળકોએ રાસ રજૂ કરેલ જેને ભારે આકર્ષણ ઊભું કર્યું હતું.
આ મહોત્સવનું સંચાલન મગનભાઈ જી. પરમાર સહમંત્રીએ સફળતાપૂર્વક કરેલ. તેમજ આભારદર્શન કારોબારી સભ્ય સંજયભાઈ કણઝારિયાએ કર્યું હતું તેમ શ્યામભાઈ પી. કણઝારિયા મંત્રીએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial