Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિર આસપાસ ભિક્ષુકો તથા ફેરિયાઓ પર પ્રતિબંધઃ જાહેરનામું

ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ થતો હોય

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારતા હોય છે, જે ધ્યાને લઈ મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયા-ભિક્ષુકોની આડમાં ચોરી અને લૂંટ થતી રોકવા અર્થે દ્વારકાધીશ મંદિર વહીવટદારશ્રી દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ, જે અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૧ર-૧ર-ર૦રપ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh