Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીની પોલીસે કરી અટકાયત

છ વર્ષ પહેલાં ફટકારાઈ હતી સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુરના એક શખ્સ સામે છ વર્ષ પહેલાં નોંધાયેલા ચેક પરતના કેસમાં અદાલતે તેને સજા ફટકારી હતી. ત્યારથી નાસતા ફરતા આ શખ્સને ગઈકાલે જામજોધપુર પોલીસે પકડી પાડ્યો છે.

જામજોધપુર શહેરમાં ખારીવાવ વાડી વિસ્તારમાં વસવાટ કરતા ધારાભાઈ સુરાભાઈ આસાણી નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯માં અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સજા ફટકારી હતી. સજાના હુકમ સમયે અદાલતમાં ગેરહાજર આરોપી સામે સજાનું વોરંટ ઈસ્યુ થયું હતું. ત્યારથી નાસતા ફરતા આ આરોપીના સગડ દબાવાતા હતા. ઉપરોક્ત આરોપી ખારીવાવ વાડી વિસ્તારમાંથી જતો હોવાની બાતમી મળતા ગઈકાલે દોડી ગયેલી જામજોધપુર પોલીસે તેની અટકાયત કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh