Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સડોદરના એક સહિત બે સામે નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા. ૧૭: સુરતના એક આસામીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી છેતરપિંડી આચરનાર મૂળ સડોદરના એક સહિત બે આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.સુરતના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક આસામીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી મૂળ અમરેલી જિલ્લાના વતની અશ્વિન પરસોત્તમ ઠુમ્મર તથા મૂળ જામજોધપુર તાલુકાના સડોદર ગામના નરેન્દ્ર ગોરધનભાઈ દુધાગરા નામના શખ્સોએ રૂ.દોઢ કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બંને શખ્સે રૂ.પ૧ લાખ ઉપરાંતનું રોકાણ કરાવી એક વર્ષ સુધી વળતરની કોઈ રકમ આપી ન હતી. તેમજ કોઈન ટ્રાન્સફર કરી ભાવ ડાઉન કરી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial