Advertisement
Author: નોબત સમાચાર

રસ્તા પર ફટાકડા ન ફોડવા અને વાંધાજનક પોસ્ટ ન કરવા પોલીસ દ્વારા કરાઈ તાકીદ

કિંમતી દાગીના, રોકડ બેંક લોકરમાં રાખવા સૂચનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રસ્તા પર ફટાકડા ન ફોડવા, સોશિયલ મીડિયા પર ધાર્મિક બાબતની વાંધાજનક પોસ્ટ ન મૂકવા સહિતની સુચનાઓ આપવામાં આવી હતી.

જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર કોઈપણ ધર્મ વિરૂદ્ધ અપમાનજનક પોસ્ટ ન કરવા પોલીસ દ્વારા બેઠકમાં  સૂચના આપવા ઉપરાંત આવું કૃત્ય કરનાર શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. પીઆઈ એન.એ. ચાવડાએ જાહેરમાં ફટાકડા ન ફોડવા તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની તકેદારી રાખવા સૂચન કર્યું હતું.

તે ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન બહારગામ જતા નગરજનોએ પોતાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ ઘરમાં રાખવાની બદલે બેંક લોકરમાં રાખી અથવા સુરક્ષિત સ્થળે મૂક્યા પછી જ બહારગામ જવું તેવું પણ સૂચન કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh