Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોખમી જણાતા પુલો પર તકેદારીના પગલે લેવા સૂચનોઃ
ખંભાળિયા તા. ૧૬: રાજ્યના નાગરિકોને માર્ગો પર અવરજવર કરવામાં કોઈ પણ પ્રકારની અગવડતાઓ ન આવે અને તેઓને સલામત મુસાફરી કરી શકે તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ પુલો જેવા કે, જામનગર - લાલપુર - પોરબંદર રોડ પર આવેલ માઈનોર બ્રીજ, કલ્યાણપુર - ચુર - ભાડથર રોડ પર આવેલ માઈનોર બ્રીજ તથા બેહ વડત્રા રોડ પર આવેલ માઈનોર બ્રીજ સહિતના ૨૬૦ જેટલા પૂલની માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરી હતી. તેમજ જરૂર જણાયે પુલોના સમારકામ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ માટે કલેકટરે વર્ગ-૧ના અધિકારીઓ સાથેની આઠ ટીમો કામે લગાડી હતી.
ઉપરાંત કલેકટર દ્વારા જોખમી પુલો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા, બેરીકેટિંગ કરવા તેમજ તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. કલેકટરની મુલાકાત વેળાએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ચૌધરી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial