Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાલ મરામત જરૂરીઃ ગ્રામ્ય માર્ગોને જોડે છે
જામનગર તા. ૧૬: વડોદરાની બ્રીજ દુર્ઘટના પછી રાજ્યભરના પુલની ચસકાણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ તમામ પુલની ચકાસણી કરી લેવાઈ છે. પરંતુ રણજીત સાગર નજીકના બે પુલ જર્જરીત હાલતમાં છે. તેની મરામત જરૂરી છે.
જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સુચનાથી વિવિધ ટીમો દ્વારા તમામ પુલનું ચેકિંગ કરાયુ હતું. તેમાંથી અમુક જોખમી પુલને ઉપરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.
જયારે શહેરની નજીક રણજીત સાગર માર્ગે ડેમની હેઠળના વિસ્તારમાં આવેલ બેઠા પુલના પોપડા ઉખડી ગયા છે. અનેક રજુઆત છતા આ પુલની મરામત કરવામાં આવી નથી.
આ પુલનો આજુબાજુના ૨૦ ગામના લોકો ઉપયોગ કરે છે.
ઉપરાંત રણજીત સાગર નીચે નાગમતિ નદી ઉપર ત્રણેક વર્ષ પહેલા દડીયા- મોખાણાને જોડતો પુલ બનાવાયો હતો. જેની પણ મરામત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial