Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે પ્લોટના વેચાણ સામે આપ્યો સ્ટેઃ
દ્વારકા તા. ૧૬: રાજકોટના એક આસામીએ દ્વારકાના બરડીયામાં પ્રણામીનગરથી ઓળખાતી જગ્યામાં બાવન પ્લોટ ખરીદવા સોદાખત કર્યા પછી બિલ્ડર પેઢીએ દસ્તાવેજ ન બનાવી આપતા અદાલતમાં કરાર પાલનનો દાવો કરવામાં આવ્યો છે. અદાલતે તે પ્લોટ સામે સ્ટેનો હુકમ કર્યાે છે.
દ્વારકા તાલુકાના બરડીયા ગામમાં આવેલા પ્રણામીનગરમાં પ્લોટ નં.પપથી ૬૧ તેમજ અન્ય પ્લોટ મળી કુલ બાવન પ્લોટ વેચાણ કરવા માટે રાજકોટના પ્રકાશભાઈ પ્રભાતભાઈ ચાવડા સાથે સોદાખત રાજમોતી બિલ્ડકોન પ્રા.લિ. નામની પેઢી દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારપછી સોદાખત મુજબ વેચાણ દસ્તાવેજ કરી આપવા પ્રકાશભાઈ દ્વારા રાજમોતી બિલ્ડકોનના ડીરેક્ટર અને ઓથોરાઈઝડ કૌશિક લાઠીયાને જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં દસ્તાવેજ કરી આપવામાં ન આવતા પ્રકાશભાઈએ નોટીસ પાઠવ્યા પછી દ્વારકાની સિવિલ કોર્ટમાં રાજમોતી બિલ્ડકોન સામે કરારના પાલનનો દાવો કર્યાે છે. દાવા અન્વયે વચગાળાનો મનાઈહુકમ પણ માંગવામાં આવ્યો છે. અદાલતે ઉપરોક્ત પ્લોટના વેચાણ, ટ્રાન્સફર સામે સ્ટે ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial