Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં પાણીની મેઈન લાઈન તુટતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ

ફૂવારા ઉડતા જળવિતરણ બંધઃ રિપેરીંગ પછી પુનઃ ચાલુ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૯: સમગ્ર જિલ્લામાં એક માત્ર ખંભાળીયા નગરપાલિકા છે, જે એકાંતરા નિયમિત પાણી આપે છે. ન.પા. વિસ્તારમાં રામનાથ સોસાયટી વિસ્તારમાં ફૂલવાડી વોટર વર્કસની લાઈનોને ઘી ડેમના જોડવાના ચાલતા કામમાં રામનાથ સોસાયટી પાસે મેઈન લાઈન તુટી જતાં પાણીનું વિતરણ શરૂ થતાં પાણીના ફુવારા ઉડ્યા હતા તથા વિતરણ બંધ થયું હતું. જો કે, ત્યાર પછી ન.પા.ના વોટરવર્કસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને મેઈન લાઈન રીપેર કરી નાખી હતી. ત્યાર પછી પાણી વિતરણ શરૂ કરાયું હતું. બાકી રહેલા વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં પાણી વિતરણ થઈ જશે તેમ જણાવાયુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh