Advertisement
Author: નોબત સમાચાર

પ્રાચીન સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર

ખંભાળીયા ઔદિચ્ય બ્રહ્મપુરીમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલ ઔદિચ્ય બ્રહ્મપુરીમાં સવાસો વર્ષ જુના સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરે ગણેશ ઉત્સવમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટે છે. આશરે સવાસો વર્ષ પહેલા બિહારના બ્રહ્મચારી મહારાજ ગજાનનજી ખંભાળિયા આવેલા અને તેઓ ખામનાથ મંદિરની મુલાકાતે આવ્યા પછી તેમણે ઔદિચ્ય બ્રહ્મપુરીમાં સિદ્વિવિનાયક ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવાની સ્ફુરણા થતા તેમના દ્વારા અહીં ગજાનનજીની સ્થાપના કરાઈ હતી. ર૦૦પ માં ઔદિચ્ય બ્રહુમપુરીનું નવનિર્માણ થયું ત્યારે પણ મંદિરને એમજ સ્થાપ્યું હતું તે હટાડી શકાયું નહતું કે જરા પણ હલ્યું નહતું. ગણેશ ચતુર્થી ના ઔદિચ્ય જ્ઞાતિ અહીં ઉત્સવ કરીને બ્રહ્મભોજન કરે છે. મનોકામના તથા મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સિદ્ધિ વિનાયકજીનું આ મંદિર ખૂબ જ પ્રચલિત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh