Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં
જામનગર તા.૩: જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અન્ય અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના વિભાગવાર પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં લોકભાગીદારીના કુલ સાત કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેના બીલો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાના કામો પૂર્ણ થયા છે તેના ચુકવણાને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોમાં જામનગર તાલુકાનું ૧, ધ્રોલ તાલુકાના ૨, લાલપુર તાલુકાના ૨, જામજોધપુર તાલુકાના ૨ કામોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial