Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    વાહન નહીં આવે તો મનપામાં કચરો ઠાલવવાની ચિમકી
જામનગર તા. ૪: જામનગરના વોર્ડ નં. ૧ મા છેલ્લા ત્રણ દિવસથી કચરો લેવા માટેનું વાહન આવ્યું નથી. પરિણામે લોકો જાહેરમાં કચરાનો નિકાલ કરી રહ્યા છે. જો હજુ પણ કચરો લેવા માટેનું વાહન નહીં આવે તો મહાનગરપાલિકા કચેરીમાં કચરો ઠાલવવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.
ગઈકાલે રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં પણ ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો દ્વારા સ્વચ્છતા અભિયાન અન્વયે સફાઈ કરવામાં આવી હતી, પરંતુ જાણે માત્ર નાટક ભજવાતું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
જો ફક્ત નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાનની જરૂર જ રહે નહીં. જામનગરના વોર્ડ નં. ૧ મા છેલ્લા ત્રણ દિવસથી કચરો લેવા માટેનું વાહન આવ્યું નથી, આથી સ્થાનિક રહેવાસીઓ કચરાને જાહેરમાં ઠાલવી નિકાલ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક અગ્રણી અનવર નુરમામદ સંઘારએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો કચરો લેવા માટેનું વાહન નહીં આવે તો હવે મહાનગરપાલિકા કચેરીમાં કચરાનો ઢગલો કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial