Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકામાં માવઠાથી થયેલ નુકસાનીના સંદર્ભમાં ગામડાઓમાં જઈને સર્વેની કામગીરી પંચકામની કામગીરી કરવા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણીયા દ્વારા ૨૬ ટીમો મોકલીને ગામેગામ સર્વે તથા પંચકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર જેવા અનેક ગામોમાં માવઠાના ભારે વરસાદથી અનેક સ્થળે પૂરની સ્થિતિ હોય, કર્મચારીઓ પૂરના પાણીમાં ખેતરમાં ભરાયેલા પાણીમાં મગફળીના તરતા પાથરાની સ્થિતિમાં કામગીરી કરવા લાગ્યા હતા.
આ ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી અડધા જિલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીની ૫૦ ટકા કામગીરી એકાદ દિવસમાં પૂર્ણ કરી રાજ્ય સરકારને સંપૂર્ણ અહેવાલ સુપ્રત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial