Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    જોડિયાના વાવડીના અગ્રણીના મૃત્યુથી ગમગીનીઃ
જામનગર તા. ૪: જામનગર-રાજકોટ રોડ પર ફલ્લા પાસે એક હોટલ નજીક ગઈકાલે સવારે રોડ ક્રોસ કરતા જોડિયાના વાવડી ગામના બાઈકચાલકને પુરપાટ દોડી આવેલી સ્કોર્પીયો મોટરે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી સ્કોર્પિયો ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસેથી ગઈકાલે સવારે દસેક વાગ્યે જોડિયા તાલુકાના વાવડી ગામના રહેવાસી અને વાવડીના આહિર સમાજના પ્રમુખ પ્રતાપભાઈ રવાભાઈ બાલસરા ઉર્ફે બાલાભાઈ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ જીજે-૧૦-બીસી ૭૯ નંબરના હીરો મોટરસાયકલ પર રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ જામનગર તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૨૫-બીએ ૬૦૪૦ નંબરની સ્કોર્પિયો મોટરે તેઓને હડફેટે લીધા હતા. મોટરની જબરદસ્ત ટક્કર વાગતા રોડ પર પછડાયેલા પ્રતાપભાઈને માથામાં તેમજ પડખા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર સુરેશભાઈ બાલસરાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial