Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    તા.૭ ફેબ્રુઆરીના આખરી મતદાર યાદીઃ
ખંભાળિયા તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, દેવભૂમિ દ્વારકાએ વિવિધ રાજકીયના પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ રાજકીય ૫ક્ષના પ્રતિનિધિઓને મતદારની પાત્રતા, એસઆઈઆરની જરૂરિયાત, એસઆઈઆરના મુખ્ય અધિકારીઓ, એસઆઈઆરની મુખ્ય પ્રક્રિયા, ગણતરી ફોર્મ, એસઆઈઆર માટે ના સૂચક (સંપૂર્ણ નહીં) દસ્તાવેજોની યાદી, તેમજ એસઆઈઆરના શેડયુલની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જેમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ તબક્કાઓ અનુસાર તા.૦૪/૧૧/ ૨૦૨૫થી તા.૦૪/૧૨/ ૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યૂમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.૦૯/૧૨/ ૨૦૨૫ના હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/ ૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. તા.૦૯/ ૧૨/૨૦૨૫થી ૩૧/૦૧/ ૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ કરાશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.૦૭/૦૨/૨૦૨૬ના આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial