Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી ત્રીસ લાખના ખર્ચે થશે એસી લાયબ્રેરીનું નિર્માણ

આજે સાંજે મહારાણા પ્રતાપ લાયબ્રેરીનું ખાતમુહૂર્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પણ ચિંતિત છે, અને ખાસ કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાચનનું સ્થળ મળી રહે તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર-ર મા નવા અને અત્યાધુનિક તમામ સુવિધાઓથી સુસજ્જ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા માટેની પ્રક્રીયાઓ હાથ ધરાઈ છે.

જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. ર મા કોમ્પિટિટિવ પરીક્ષા (સરકારી) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને વાચન માટે પુસ્તકો તેમજ યોગ્ય સ્થળ મળી રહે, એ હેતુથી ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એર કન્ડિશનની સુવિધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત આજે તા. ૧ર-૮-ર૦રપ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નં. બે મા મચ્છરનગર વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. જે ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના સર્વે નાગરિકોને ઉપસ્થિત રહેવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh