Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવનુગામના આધેડનું ચક્કર આવી બેભાન થઈ જતાં મૃત્યુઃ મહિલાને ગભરામણ થતાં સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૨: જામનગરમાં રહેતી અને અભ્યાસ કરતી સત્તર વર્ષની તરૂણીએ અભ્યાસના ટેન્શનના કારણે ગળાફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ, મયુર બાગ શેરી નં.રમાં રહેતી અને ધો.૧ર (વિજ્ઞાન પ્રવાહ)માં અભ્યાસ કરતી પ્રણીલીબેન ઉર્ફે પરી અલ્પેશભાઈ ચોવટીયા નામની સત્તર વર્ષની તરૂણીએ ગઈ સાંજે પોતાના ઘરમાં છતના હુંકના પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તેના પિતા અલ્પેશભાઈ રમેશભાઈ ચોવટીયાએ પોલીસમાં જાણ કરતા એએસઆઈ એચ.આર. બાબરીયા દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસનું ભારણ ખૂબજ રહેતું હોય અને અભ્યાસના ટેન્શનમાં રહેતી હોવાના કારણે તેણીએ આ પગલું ભર્યાનું તેના પિતાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગરના શંકરટેકરી નહેરૂનગર વિસ્તારમાં શેરી નં.૯/બીમાં રહેતા ભાનુબેન મનિષભાઈ ચાવડા (ઉ.વ.૩૭) ગત તા.ર૩ જૂન ૨૦૨૫ના રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ગભરામણ થતાં અને તબીયત લથડી જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પતિ મનિષ રૂડાભાઈ ચાવડાએ પોલીસમાં જાણ કરતા એએસઆઈ ટી.કે. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.
જોડિયા તાલુકાના માવનુગામમાં રહેતા શામળાભાઈ જીવાભાઈ કુંભારવડીયા (ઉ.વ.પપ) ગત તા.૩૧-પના જાંબુડા ગામ નજીક આવેલ સિદ્ધનાથ હોટલ પાસે ઉભા હતા. ત્યારે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. આથી તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હીરાભાઈ ભુરાભાઈ સવસેટા (રહે. ફડસર, તા. મોરબી)એ પોલીસમાં જાણ કરતા હેડ કોન્સ. એચ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial