Advertisement
Author: નોબત સમાચાર

પેરોલ પર મુક્ત થઈ નાસી ગયેલા આરોપીની એલસીબી દ્વારા અટકાયત

હત્યાના ગુન્હામાં થઈ છે આજીવન કેદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: રાજકોટની જેલમાં હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા કાપી રહેલા શખ્સે પેરોલ પર મુક્ત થઈ પોબારા ભણ્યા પછી એલસીબીએ પકડી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોસિત્રામાં વસવાટ કરતા ભરત કાળુભા જડીયા નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯માં મીઠાપુર પોલીસ મથકમાં હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં ભરત જડીયાને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.

આ ગુન્હાની જેલસજા રાજકોટની મધ્યસ્થ જેલમાં કાપી રહેલા ભરત જડીયાએ ગઈ તા.રર જુલાઈથી ૧૪ દિવસ માટે પેરોલ મેળવી હતી. આ શખ્સે ગઈ તા.૬ના દિવસે જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ તે શખ્સ હાજર ન થઈ નાસી ગયો હતો. તેને એલસીબીના ધર્મેન્દ્રસિંહ, અરજણભાઈ, મયુદ્દીનની બાતમીના આધારે ગાંધીનગર સ્મશાન રોડ પરથી એલસીબીએ પકડી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh