Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરખરાના કામેથી પરત ફરી રહ્યા હતાઃ
જામનગર તા. ૧૨: જામનગર-ખંભાળિયા રોડ પર સરમત પાટીયા પાસે ગઈકાલે બાઈકચાલકને એક ઈકો ગાડીના ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઈજા પામનાર બાઈકચાલક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.
જામનગર તાલુકાના સરમત વાડી વિસ્તારમાં રહેતા રમઝાનઅલી બાબુભાઈ અભવાણી (ઉ.વ.૬૮) ગઈકાલે સવારે પોતાનું બાઈક લઈને લાખાબાવળ તરફથી ખરખરાના કામેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ સરમત પાટીયા નજીકથી પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-ટીઆર ૩૮૯૬ નંબરની ઈકો મોટરના ચાલકે ઠોકર મારતા રમઝાનઅલીભાઈને ગંભીર ઈજા પહોંચવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અસલમભાઈ અભવાણીએ ઈકોચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ સી.ટી. પરમારે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial