Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૨ લાખ ૩૦ હજાર ચૂકવવા પણ આદેશઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમદાવાદના આસામી સામે રોકાણના નામે રૂ.ર લાખ ૩૦ હજાર મેળવી લઈ તે રકમ પરત ન આપવા અંગે ફરિયાદ કરાઈ હતી. અદાલતે આ આરોપીને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.
જામનગરના રહેવાસી અને ડીવાયએસપી તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા પાસેથી અમદાવાદના દિનેશ મોહનભાઈ શ્રીકાર નામના આસામીએ જુદી જુદી યોજનામાં રોકાણ કરવાના નામે રૂ.૨ લાખ ૩૦ હજાર મેળવ્યા હતા.
ત્યારપછી આ રકમ ચૂકવવામાં ન આવતા દિનેશ મોહનભાઈ સામે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેની સામે જામનગરની કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દિનેશ મોહનભાઈને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબ દંડ ભરવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હિતેન ગોહિલ, એન.બી. જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial