Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈન્ડિયન રેડક્રોસ-જીનિયસ કલબ દ્વારા મેન્ટલ એવરનેશનો સેમિનાર

મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અપાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-જામનગર અને જીનિયસ કલબ જામનગર દ્વારા મહિલાઓ માટે મેન્ટલ એવરનેશ સેમિનાર યોજાયો હતો. જેમાં 'મારા ઘરમાં હું ક્યાં ?' એ વિષય પર ડો. ભાવીનિબેન ઠાકર (હેડ ઓફ સાઈકોલોજી ડિપાર્ટમેન્ટ, ડી.કે.વી. કોલેજ, જામનગર) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને '૫૦+ની મહિલાઓની મુંઝવણ અને ઉપાય' વિષય પર દિપાબેન સોની (વાઈસ ચેરપર્સન રેડક્રોસ-જામનગર) અને દર્શનાબેન જોશી, શિક્ષિકા દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય અંગે પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી હતી અને તે પરથી માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ડો. અવિનાશભાઈ ભટ્ટ (ચેરમેન), દિપાબેન સોની (વાઈસ ચેરપર્સન), કિરીટભાઈ શાહ (ખજાનચી), ક્રિષ્નાબેન ઠાકર (ફાઉન્ડર જીનિયસ કલબ), નૃપાબેન મકવાણા (પ્રોજેકટ કો ઓર્ડિનેટર), ડો. વંદનાબેન તન્ના (નેચરોપેથી) મીનાક્ષીબેન મહેતા (પ્રેસિડેન્ટ જીનિયસ કલબ) ઉપરાંત હિનાબેન શાહ, કાજલબેન ગનીયાણી, અવનીબેન ત્રિવેદી, મુસ્કાન, હિરેનભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ભીંડી, વિઠ્ઠલભાઈ ધોળકીયા, ભરતભાઈ દવે, અજીતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રેખાબેન જેઠવા તરફથી કેન્સર પીડિતોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન રાણાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh