Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરતમાં સજા

એક મહિલા સહિત બેએ કરી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક મહિલાએ રૂ.૧ લાખના ચેક પરતની અને એક આસામીએ રૂ.૭૦ હજારના ચેક પરતની અદાલતમાં કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે બે શખ્સને એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરમાં રહેતા રંજનબેન ધર્મેન્દ્રભાઈ વારા પાસેથી સંબંધદાવે સોલંકી વિવેકભાઈ નવીનભાઈએ હાથઉછીના રૂ.૧ લાખ મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં રંજનબેને ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી વિવેક નવીનભાઈ સોલંકીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરના વિજયસિંહ રાજુભા જાડેજા પાસેથી રૂ.૭૦ હજાર હાથઉછીના લઈ જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી જીતેન્દ્ર અરજણભાઈને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનું વળતર ચુકવી આપવાનો આદેશ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બ્રિજરાજસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh