Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમારીથી પીડાતા યુવાને ગોલ્ડ લોન મેળવી હતીઃ
જામનગર તા. ૧: ભાણવડના માનપર ગામમાં વસવાટ કરતા એક યુવાને ગઈકાલે સવારે કપુરડીનેસ નજીક આવેલા તળાવના કાંઠા પર જઈ પાણીમાં ભૂસકો મારી જિંદગીનો અંત આણ્યો છે. આ યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓએ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી હતી અને માવઠાથી થયેલી નુકસાનીની પણ ચિંતામાં હતા. પોલીસે તેમના પરિવારજનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામમાં વસવાટ કરતા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટીયા (ઉ.વ.૩૭) નામના યુવાન ગઈકાલે સવારે કપુરડીનેસ નજીક આવેલા તળાવ પાસે પહોંચ્યા હતા. ફાટલ તળાવથી ઓળખાતી આ જગ્યા પર પહોંચી કરશનભાઈએ પાણીમાં ભૂસકો માર્યાે હતો. ત્યાં હાજર લોકોએ આ યુવાનને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસ ટીમે આ યુવાનની ઓળખ મેળવી તેમના પરિવારને જાણ કરતા અરશીભાઈ લખમણભાઈ વાવણોટીયા આવ્યા હતા. તેઓનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ કરશનભાઈ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તે ઉપરાંત આ યુવાને એક બેંકમાંથી સોના પર લોન મેળવી હતી. તેમજ તાજેતરમાં થયેલા માવઠાના કારણે થયેલા નુકસાનથી પણ કરશનભાઈ ચિંતિત રહેતા હતા. આ કારણોસર તેઓએ તળાવમાં ઝંપલાવી લઈ મોતને ગળે લગાવી લીધુ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial