Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો તખ્તો તૈયારઃ ચોથી નવેમ્બરથી પ્રારંભ

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ યોજી બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સમગ્ર આયોજન સમજાવાયુ હતું.

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭-૧૦-૨૦૨૫ના પત્રથી તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮-૧૦-૨૦૨૫થી તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.

મતદાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠકકરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. અને તેઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં આગામી તા.૭-૨-૨૦૨૫ સુધી ચાલનાર આ કાર્યક્રમની સમયસૂચિ મુજબ છે. તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ, તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.૦૯-૧૨-૨૦૨૫થી તા.૦૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.

તા.૦૯-૧૨-૨૦૨૫થી ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને ઈઆરઓએસ દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો.  તા.૦૩-૦૨-૨૦૨૬ના મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી.  તથા ૦૭-૦૨-૨૦૨૬ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદારયાદીના આધારે એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે તો બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh