Advertisement
Author: નોબત સમાચાર

ૐ ટ્રેનિંગ સેન્ટરનું એક વર્ષનું રૂ. ૪૨ હજારનું લાઈટબિલ રિટાયર્ડ પ્રોફેસર દંપતીએ ચૂકવી દીધું

જામનગરમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક પ્રોફેસર દંપતી દ્વારા ખૂબજ સરાહનીય અને પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું છે, અને માનસિક ક્ષતિ દિવસે જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરમાં મનો દિવ્યાંગ બાળકોની મદદે આવ્યા છે. તેઓના સેન્ટરના એક વર્ષના લાઈટ બિલનું ચૂકવણું કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

જામનગરની પંચવટી કોલેજમાં સેવા આપી ચૂકેલા ખૂબ જ જાણીતા પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજા કે જેઓએ ખરેખર વિશ્વ વિકલાંગ દિવસની વિશેષરૂપે ઉજવણી કરી છે. જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોની સંસ્થામાં આવેલું છેલ્લા એક વર્ષનું લાઈટ બિલ જે રૂ. ૪૨,૦૦૦ આવ્યું હતું. આ લાઈટ બિલની ચૂકવણી કરીને મનોદિવ્યાંગ માટે કામ કરતી સંસ્થામાં મદદ કરી વિશ્વ વિકલાંગ દિવસની વિશેષરૂપે ઉજવણી કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

સંસ્થાના આ ખર્ચને પહોંચી વળવા માટે મદદરૂપ થનાર પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજા નો ૐ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ તેમજ ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છેેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh