Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ સેફટી જળવાઈ રહે તે પ્રકારે ચકાસણી કરી જરૃરી જણાયે કામગીરીનું સૂચનઃ
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં રોડ અકસ્માતો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી એક સપ્તાહ દરમિયાન ખાસ ઝુંબેશના ભાગરૃપે જિલ્લાના વિવિધ પુલો તથા બાંધકામની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના સોયલ પાસે આવેલા ૨ મેજર બ્રિજનું રૃબરૃમાં જઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અને પુલોનું સ્ટ્રક્ચર તથા સલામતી જળવાઈ રહે તથા કોઈ અણબનાવ ન બને તે મુજબ યોગ્ય કામગીરી અને તપાસ કરવા લગત અધિકારીઓને સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. અને વિવિધ જગ્યાઓ પર તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહૃાું છે.
કલેક્ટર સાથે આ ચકાસણી દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે તથા લગત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial