Advertisement
Author: નોબત સમાચાર

એલ.જી. હરિઆ સ્કૂલમાં ડોકટર્સ ડે નિમિત્તે યોજાયો ડોકટર્સ સાથે સંવાદ

                                                                                                                                                                                                      

જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલમાં ડોકટર્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ સાથે ડોકટર્સનો સીધો સંવાદ યોજાયો હતો. જેમાં ડો. દિનકર સાવરીયા, ડો. પર્શિતા પંચાલી દોઢિયા, શાળાના આચાર્ય ધવલ પટ્ટ, સુપરવાઈઝરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમમાં પધારેલા ડોકટરોએ ગંભીર રોગોમાં થતી સારવાર, આહાર-વિહારમાં સાવચેતી, માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ, દાંતની કાળજી અંગે વિગતવાર જાણકારી આપી હતી. આચાર્ય ધવલ પટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન ઝાલાએ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh