Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત થઈ જતા જાનહાનિ થવાની સંભાવના
જામનગર તા. ૩: જામનગરની રાજાશાહી સમયની શાક માર્કેટ હાલ જર્જરિત હાલતમાં હોવાથી માનવહાનીની શક્યતાને ધ્યાનમાં રાખીને આ શાક માર્કેટ ખાલી કરી નાખવાની સૂચના આપતા દોડધામ મચી જવા પામી છે. આ મુદ્દે ગઈકાલે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા નાયબ કમિશનરની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જામનગરની રાજાશાહી સમયની શાકમાર્કેટ હાલ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે તેનો કોઈ હિસ્સો તૂટી પડે તો માનવ જાનહાની પણ થઈ શકે છે.
આથી ગઈકાલે મ્યુનિ. કમિશનરની સૂચનાથી એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાએ સ્થળ ઉપર પહોંચીને માર્કેટમાં વ્યવસાય કરતા શાકભાજી વિક્રેતાઓને ગુરુવાર સાંજ સુધીમાં માર્કેટ ખાલી કરી આપવની સૂચના આપી હતી. આથી શાકભાજીના વ્યાપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
ગઈકાલે શાકભાજી વિક્રેતાઓ મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ પછી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા પણ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા પાસે પહોંચ્યા હતાં અને ત્યાં ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરી પંદરેક દિવસનો સમય આપો તો અમો ન્યાય માટે કોર્ટમાં જઈ શકીએ તેવી માગણી કરી અધિકારીને ઉંચા અવાજે આક્રમક રીતે રજૂઆતો કરી હતી, અને માત્ર એક જ દિવસની મુદ્ત આપવી તે વ્યાજબી નથી તેમ પણ આ રજૂઆતમાં જણાવ્યું હતું, જો કે મહાનગરપાલિકા દ્વારા ગમે ત્યારે આ શાકમાર્કેટની ઈમારત તોડી પાડવામાં આવનાર છે.
આ પછી મોડેથી મળતા અહેવાલ મુજબ જામનગરમાં વિપક્ષના સિનિયર કોર્પોરેટર અલ્તાફ ખફી પણ આજે શાકમાર્કેટ મુદ્દે તંત્ર સમક્ષ રજુઆત કરવા માટે પહોંચ્યા હતાં અને તાજીયાના તહેવારો નજીકમાં હોય આથી બે દિવસ સુધી પાડતોડ નહીં કરવાની મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરી હતી. આથી કમિશનરે વેપારીઓને બે દિવસની મુદ્દત આપી છે.
બીજીતરફ શાકમાર્કેટના વેપારીઓ આ મુદ્દે કોર્ટમાં દાદ માંગે તેવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial