Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં મદદગારી કરનાર શખ્સને અપાયા જામીન

ચાર મહિના પહેલાં સગીરાનું કરાયું હતું અપહરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: લાલપુર પંથકના એક ગામમાંથી સગીરાનું ચાર મહિના પહેલાં અપહરણ કરાયાના નોંધાયેલા ગુન્હામાં મદદગારી કરનાર શખ્સની પણ ધરપકડ કરાઈ હતી. આ આરોપીને જામીનમુક્ત કરવામાં આવ્યો છે.

લાલપુર પંથકમાંથી મહેન્દ્ર ઉર્ફે અશ્વિન હમીરભાઈ વાઘેલા નામનો શખ્સ એક સગીરાને લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી ગયાની અને ચારેક મહિના સુધી તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.

આ ગુન્હામાં રાહુલ કરશનભાઈ બેરા નામના શખ્સે પણ મદદગારી કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી રાહુલ બેરાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૂ.રપ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh