Advertisement
Author: નોબત સમાચાર

ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને રૂ. ૫૦ હજાર સુધીની સહાય

આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: રાજ્યની કોઇપણ એપીએમસીમાં તા. ૧-૪-૨૦૨૫ થી તા. ૩૧-૦૫-૨૦૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ-૨૦૨૫ અને મે-૨૦૨૫ દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને પ્રતિ ક્વિન્ટલ રુ.૨૦૦ની સહાય આપવામાં આવશે. ખેડૂતોએ મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે, મહત્તમ રુ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ-૨.૦ પર તા. ૧૫-૦૭-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરુરી સાધનિક કાગળો /દસ્તાવેજો (૭/૧૨ અને ૮-અ/વન અધિકારી પત્ર, તલાટી કામ મંત્રીનો ડુંગળીનાં વાવેતર અંગેનો દાખલો, એપીએમસીનો ગેટ એન્ટ્રીનો પુરાવો અને બિલ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ) સામેલ રાખી તા.૩૧-૦૭-૨૦૨૫ સુધીમાં રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયતની કચેરી, રૂબરૂ નં.-૪૮, જિલ્લા સેવા સદન-૪, રાજપાર્ક જામનગરમાં મોકલી આપવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયંુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh