Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનો બે દિવસીય મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યોજાયો

૧૧૭ રેડક્રોસ પ્રતિનિધિઓને તાલીમ અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાંથી રેડક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદમાં 'મેન્ટલ હેલ્થ હિરો' તરીકેની ૪ અને  ૫ જુલાઈના બે દિવસની તાલીમ આપવામાં આવી. હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો જયંતી રવિ મેડમ આઈએએસ, (એડીશન ચીફ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર), ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાલાલભાઈ ભરવાડ, ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ, વાઈસ ચેરમેન ડો. અજયભાઈ દેસાઈ, ટ્રેઝરર સંજયભાઈ શાહ, જનરલ સેક્રેટરી ડો. પ્રકાશભાઈ પરમાર, ડેપ્યુટી સેક્રેટરી અશોકભાઈ શિલુ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાાં હતા.

આ પ્રોગ્રામમાં ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના ઓફિસર ડો. અજયભાઈ ચૌહાણની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્રારા તાલીમ આપવામાં આવી હતી. કુલ ૧૧૭ રેડક્રોસ પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં જામનગરથી રેડ ક્રોસ શાખાના વાઈસ ચેરપર્સન દિપાબેન સોની , દર્શાબેન જોશી અને મિલનભાઈ કુબાવતે તાલીમ લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh