Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે શ્રી રામદેવજી મહારાજનો બાર પહોર પાટોત્સવઃ
જામનગર તા. ૪: જામનગર કોળી સમાજ તથા સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ શ્રી રામદેવજી મહારાજનો બાર પહોર પાટોત્સવ, મહાનુભાવોનો સન્માન સમારોહ અને સમાજના લાભાર્થી તથા શ્રેષ્ઠીઓનું સન્માનનું શુક્રવાર, તા. પ-૯-રપ ના શ્રી સમસ્ત તળપદા કોળી સમાજની વાડી, હનુમાન ચોક પાછળ, નવાગામ (ઘેડ), જામનગરમાં કરવામાં આવ્યું છે.
આવતીકાલ તા. પ/૯ ના બપોરે ૩ વાગ્યે શ્રી રામદેવપીરનું સામૈયું, સાંજે પ-૩૦ વાગ્યે મહાનુભાવોનું સન્માન, ૬ વાગ્યે લાભાર્થીને વિતરણ, ૭-૩૦ વાગ્યે જ્યોત પ્રાગટ્ય, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી (રાજુભાઈ સાકરિયા અને ટીમ), તા. ૬/૯ ના રાત્રે ૯ વાગ્યે રામામંડળ (અલખધણી રામામંડળ-બુટાવદર) તેમજ તા. ૭/૯ ના સવારે ૪ વાગ્યે સમાપન થશે. આ કાર્યક્રમ અન્વયે તા. પ થી તા. ૭/૯ દરમિયાન રાત્રે ૮-૩૦ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી મહાપ્રસાદી અખંડ ચાલુ રહેશે.
આ કાર્યક્રમમાં મહંતશ્રી સંતશ્રી રામદાસ બાપુ (નકલંક રણુજા), સંતશ્રી વાઘજી ભગત (કાળાસરના મહંત), ગાદીપતિ હરેશભારથી ગોસાઈ, કોટવાર બાલાભાઈ કંટારિયા અને વિજયભાઈ લુદરિયા, બારપોરા પાઠના દ્વારપાર-કોટવાળ જેન્તિભાઈ ફટાણિયા-ભરતભાઈ મેરાણી તેમજ એન્કર તરીકે અશોકભાઈ રાણા રહેશે.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી કુંવરજીભાઈ બાવળિયા (કેબિનેટ મંત્રી) અને શ્રી નીમુબેન બાંભણીયા (કેન્દ્રિય મંત્રી) તેમજ અતિથિવિશેષ તરીકે સર્વશ્રી પૂનમબેન માડમ (સાંસદસભ્ય), ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, વિનોદભાઈ ખીમસૂરીયા (જામ્યુકો મેયર) વિગેરેની ઉપસ્થિતિ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial