Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના પિતાએ લગ્ન કરી આપવાની ના પાડીઃ
જામનગર તા. ૪: જામનગરના સિક્કા નજીકના મુંગણી ગામના એક યુવાન પોતાની પ્રેયસી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તે યુવતીના પિતાએ લગ્ન કરવાની ના પાડી આ યુવાનને ધમકાવતા નાસીપાસ થયેલા આ યુવાને જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગર તાલુકાના સિક્કા નજીક આવેલા મુંગણી ગામમાં રહેતા અશ્વિનભાઈ માવજીભાઈ પરમાર નામના અઠ્ઠયાવીસ વર્ષના યુવાન જામનગરમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતા હતા અને તે યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.
આ બાબતની તે યુવતીના પિતાને જાણ કરવામાં આવતા તેઓએ અશ્વિનભાઈ સાથે પોતાની પુત્રીના લગ્ન કરી આપવાની ના પાડતા અને અશ્વિનભાઈને ધમકાવતા આ યુવાનને માઠું લાગી આવ્યું હતું. તે પછી ગયા શનિવારે રાત્રે અશ્વિનભાઈએ પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું.
સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે બપોરે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ હસમુખ ભાઈ માવજીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial