Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
જામનગર તા. ૧૧: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને પુનઃ નોકરીમાં લેવાયા છે, અને આમ તેમનું સસ્પેન્શન રદ કરાયું છે, ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે ભાજપ શાસીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને શાસનાધિકારી દ્વારા કેવા પ્રકારનો વહીવટ થાય છે? શું કોઈની રોજીરોટી સામે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે?
શા માટે સસ્પેન્ડ કરાયા? અને જો કસુરવાર હતાં. જો સસપેન્શન રદ કેમ કરાયું?
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના શિક્ષક રામગોપાલ મીશ્રાને શાસનાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ શિક્ષકે કેટલીક સત્ય હકીકતો સોશ્યલ મીડિયામાં વાયરસ કરી હતી જે શાસકોને અનુકૂળ નહીં આવતા 'ઉપરી'ને પોતાની અનુકૂળતા મજુબનો રિપોર્ટ કરવામં આવ્યો હતો અને મંજુરી મળતા આ શિક્ષકને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં.
આ પછી શાળાના વાલી મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની પણ હડતાલ રાખવામાં આવી હતી. આખરે શિક્ષણ સમિતિના શાસકોને હકીકતનું ભાન થતા વળી એક અહેવાલ 'ઉપર' મોકલાયો અને ત્યાંથી મંજુરી મેળવ્યા પછી જામનગરના આ શિક્ષકનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે, ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે, શું એ શિક્ષકે કોઈ ગુનો કર્યો હતો? અને જો હા તો તેમને શા માટે પુનઃ નોકરીમાં લેવાયા? તેવો કસુરવાર ન હતા તો શા માટે સસ્પેન્ડ કરાયા?
અત્રે ઉલ્લેખનિય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વહીવટ ચર્ચાના ચાકડે ચઢ્યો છે. એક શિક્ષક જેવા વ્યક્તિને પહેલા સસ્પેન્ડ કરવા અને ફરી તેને નોકરીમાં લેવા એવી 'રમત' શા માટે? તેવો પ્રશ્ન શિક્ષક જગતમાં ચર્ચાએ ચઢ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial