Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. ભગવાનદાસ મગનલાલ મેતાના પત્ની લલીતાબેન (ઉ.વ.૯૩), તે સ્વ. સુબોધભાઈ, જયેશભાઈ, ભાવનાબેન, જયમાલાબેનના માતા, અલ્કાબેન, સુબોધભાઈ વારીઆના સાસુ, કાજલ અને કરણના દાદીમાં, રાકેશભાઈ જેઠવાના દાદીજી સાસુ, સ્વ. હેમતલાલ રવજીભાઈ મેતાના પુત્રી, સ્વ. ઈન્દુબેન, દિનેશભાઈ, વિરેન્દ્રભાઈ, હરીશભાઈ, સ્વ. અશ્વિનભાઈના મોટા બહેન તા. ૧૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વ.ના ચક્ષુનું દાન કરેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ ના સાંજે ૪ વાગ્યે મોહનવિજયજી પાઠશાળા, પોસ્ટઓફિસ સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. વૃજલાલભાઈ મુળજીભાઈ નથવાણીના પુત્ર ભાલચંદ્રભાઈ (ઉ.વ.૬૮) તે મેહુલભાઈ તથા ધારાબેન દિપેશકુમાર ચંદારાણાના પિતા, અરવિંદભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. દિનેશભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિતેશભાઈ તથા ઉષાબેન ભરતકુમાર માનસતાના ભાઈ, સ્વ. વૃજલાલ રામજીભાઈ ખખ્ખર (નિકાવા)ના જમાઈનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૧૪ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ લલીતાબેન વૃજલાલ મહેતા (ધ્રાફાવાળા) તે સ્વ. વૃજલાલ નવલચંદ મહેતાના પત્ની, સ્વ. શામલજી દોશીના પુત્રી તથા કમલેશભાઈ, હર્ષાબેન, ઈલાબેન, દક્ષાબેન, પારૂલબેનના માતા, મીનાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. અશોકભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના સાસુનું તા. ૧૦ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી ભષ્માંકભાઈ બાલુભાઈ સોલંકી (ઉ.વ.૭૪) (સોલંકી એન્જીનિયરીંગ એન્ટરપ્રાઈઝ અને રાજવંશ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.) તે સ્વ. બાલુભાઈ મુળજીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ. પિયુષભાઈના ભાઈ, ભાવનાબેન પિયુશભાઈ સોલંકીના દિયર, મીનાબેન સોલંકીના પતિ, મુંજાલભાઈ પિયુષભાઈ સોલંકીના કાકા, તથા વિદ્યા, મુંજાલ સોલંકીના કાકાજી સસરા, ભ્રાંતિ રાહુલ મિસ્ત્રી, ધૈર્યાતિ અમિત શેઠના પિતા તથા નેહલ નિમિત સોલંકીના કાકા, ચિમનભાઈ ગણેશભાઈ પરમાર (મુંબઈ) ના જમાઈનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખેલ છે.