Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરઉનાળે નદીઓ વહેતી થઈઃ જળાશયોમાં નવા નીરઃ પવનના કારણે પતરા ઊડ્યાઃ
જામનગર તા. ૧રઃ હાલાર પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણ પલટાયું છે, અને કમોસમી વરસાદ વરસતા નુક્સાન થયું છે.
ગઈકાલે કલ્યાણપુર-ખંભાળિયા પંથકમાં ૩ થી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે શનિ-રવિમાં જામનગર જિલ્લામાં દોઢથી બે ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ છે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈ સાંજે ભારે પવનના તોફાન સાથે વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકાના શહેર તથા અમુક ગામડાઓમાં ૩ થી સાડાત્રણ ઈંચ વરસાદના વાવડ છે, જ્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર, કેશોદ, ભાડથર, શેઢા ભાડથર, ઠાક શેરડી, કંડોરાણા અને બજાણામાં ભારે વરસાદના અહેવાલો મળી રહ્યા છે. આમ ભરઉનાળે કેટલાક ચેકડેમો છલકાઈ ગયા હતાં, તો નદીઓમાં પુર વહેતા થયા હતાં.
કલ્યાણપુરના ગણેશગઢ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી એનિમલ હોસ્પિટલ, તેમાં રહેતા પશુઓને ખૂબ જ નુક્સાન થયું હતું, જ્યારે પવનના કારણે પતરા પણ ઊડી ગયા હતાં અને દીવાલને પણ નુક્સાન થયું હતું.
ચોમાસા પહેલા થયેલા વરસાદના કારણે ખેતરોમાં પણ નુક્સાન થતા જરૂરી ખેતીવિષયક કામગીરી થઈ શકી ન હતી.
જામનગર જિલ્લામાં પણ અમુક તાલુકામાં શનિવાર અને રવિવારે વરસાદ થયો હતો. શનિવો ધ્રોળમાં ૩૮ મી.મી. અને લાલપુરમાં ર૦ મી.મી. તથા જામજોધપુરમાં ૭ મી.મી. વરસાદ થયો હતો, જ્યારે ગઈકાલે રવિવારે પણ જામજોધપુરમાં ૩૬ મી.મી. અને લાલપુરમાં રપ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ કમોસમી વરસાદથી વ્યાપક નુક્સાન થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial