Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારી અને ડીવાયએસપીએ સહકારની કરી અપીલ
દ્વારકા તા. ૧રઃ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આસપાસ ગોમતીઘાટ, સુદામા સેતુ અને જોધાભા માણેકચોક સુધીના રસ્તાઓ ઉપર વાહનોના પાર્કિંગ માટે દ્વારકાના પ્રાન્ત ઓફિસર આમોલ આમતે અને ડીવાયએસપી સાગર રાઠોડે વાહનોના પાર્કિંગ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે, અને વાહનચાલકો-લોકોને સહકાર આપવા અપીલ કરી છે. દ્વારકાના હાથી ગેટથી એટલે કે ધીરૃભાઈ અંબાણી માર્ગ ઉપરના મંદિર સુધીના રસ્તાને જોડતા આવેલી હોટલો હોટલો અને યાત્રિકોએ તેમના વાહનો હાથી ગેટ પાસે આવેલ પાર્કિંગમાં રાખવા કડક સૂચના આપી છે.
અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં જ આ અધિકારીઓએ ગોમતીઘાટ રોડ ઉપર આવેલ અને શહેરના કેટલાક વિસ્તારોમાં જ્યાં દ્વારકાધીશ મંદિરને જોડતા રસ્તાઓ છે ત્યાં લારી-ગલ્લા અને પથારો કરી બેસતા લોકોને ખસેડેલ છે, જેનાથી મંદિર આસપાસની ટ્રાફિક સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ છે, પરંતુ વાહનોના પ્રવેશને પણ હવે બંધ કરાતા મંદિર આસપાસની ટ્રાફિક સમસ્યા ખૂબ જ સરળ બનશે.
અત્રે એ પણ નોંધનીય છે કે ટૂંક સમયમાં દ્વારકાધીશ મંદિર આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરિડોર બનાવી યાત્રિકોની સુવિધા માટે વિશેષરૃપે કામગીરી કરનાર હોવાથી તેના ભાગરૃપે પણ ઉપરોક્ત કામગીરી વધુ ઉપયોગી બનશે. આમ પણ જોઈએ તો દ્વારકાધીશના દર્શન માટે હવે વિક એન્ડના બદલે રોજિંદો ટ્રાફિક થઈ ગયો છે. જેના કારણે યાત્રિકોને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મુશ્કેલી સમાન બની હતી. દ્વારકાના ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે થયેલી આ વ્યવસ્થાથી દ્વારકાવાસીઓને યાત્રિકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી છે. દ્વારકાધીશ મંદિર આસપાસ આવેલ નિવાસ હોટેલ સંચાલકોને પણ માત્ર યાત્રિકોને હોટલો સુધી લઈ જવા માટે વ્યવસ્થા કરાશે, પરંતુ તે પછી વાહનોના પાર્કિંગ હાથી ગેટના પાર્કિંગમાં રાખવા સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial