Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂલથી જીવંત વીજવાયરને અડકી જતા શોર્ટ લાગ્યોઃ
જામનગર તા. ૧૨ઃ જામનગર-રાજકોટ રોડ પર જાંબુડા ગામના પાટીયા પાસે વીજલાઈન બદલવાનું કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિકને વીજ આંચકો ભરખી ગયો છે. વીજ તાર બદલ્યા પછી આ શ્રમિક ભૂલથી વીજ પ્રવાહ ચાલુ હતો તે લાઈનને અડકી ગયો હતો.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા ગામના પાટીયા નજીક દ્વારકાધીશ હોટલ પાસે ગઈકાલે બપોરે વીજ કંપની દ્વારા ત્યાં મુકવામાં આવેલી વીજ લાઈનમાં તાર બદલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે કામ પર હાલમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામના પાટીયા પાસે વસવાટ કરતા મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અમરપુરા ગામના લાલચંદ રાધેશ્યામ ભીલ (ઉ.વ.૩૦) તથા હેમરાજ રાધેશ્યામ સહિતના શ્રમિકો કામ કરી રહ્યા હતા.
અંદાજે ચારેક વાગ્યે તે કામ પૂર્ણ થતાં વીજળી ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન જે લાઈનમાં વીજ પુરવઠો રોકવામાં આવ્યો હતો. તે લાઈનના બદલે ભૂલથી લાલચંદ જે લાઈનમાં વીજ પુરવઠો પૂર્વવત હતો તેને અડકી જતાં પટકાઈ પડ્યો હતો.
આ શ્રમિકને સારવાર માટે જાંબુડાના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું હેમરાજ ભીલે પોલીસમાં જાહેર કર્યું છે. મૃતક શ્રમિક વીજ કંપની પાસેથી સમારકામનો કોન્ટ્રાક્ટ રાખતી પેઢીમાં કામ કરતા હતા. પંચકોશી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial