Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકામાં મનરેગા અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચારઃ તપાસની માંગ

તાલુકાના અગ્રણીનો મુખ્યમંત્રીને પત્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકામાં મનરેગા યોજના તથા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ થયેલ કામમાં ભ્રષ્ટાચારની આશંકા હોવાથી તપાસ કરાવવી જોઈએ.

જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ નાનજીભાઈ માંડવિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, મનરેગા યોજનામાં દેશમાં કરોડો ગરીબ-શ્રમિકોને રોજીરોટી મળે છે, અને જેઓ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, પરંતુ મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે.

જ્યારે જામનગર તાલુકામાં પણ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના વાવડ છે. આથી તપાસ કરવી જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.

તેમજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ થયેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. બોગસ હાજરી પત્રકો બનાવાયા છે અને પૈસા ઉસેડી લેવાયા છે. આ અંગે પણ વિજિલિયન્સ તપાસ કરાવવી જોઈએ અને આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh