Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે થશે વિતરણઃ
જામનગર તા. ૯: જામનગરમાં આજે મંગળવારે ગુલાબનગર 'બી' ઝોન હેઠળના અમુક વિસ્તારોમાં જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણી વિતરણ થશે નહીં, જે આવતીકાલે વિતરણ થશે.
જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૯-૧ર-ર૦રપ ને મંગળવારના ગુલાબનગરની મેઈન પાઈપલાઈન ક્રોસીંગ તથા વાલ્વ બેસાડવાનું કામ કરવાનું હોવાથી ગુલાબનગર ઈ.એસ.આર. હેઠળ આવતા ઝોન 'બી'ના વિસ્તારો ભીમવાસ, સ્વામિ નારાયણનગર, ડ્રીમ સિટી, અક્ષર ધામ, વ્હોરાના હજીરા, રાજપાર્ક, રવિ પાર્ક, લાલવાડી, માણેકનગર, ઉમિયાનગર, શાંતિવન સોસાયટી, હાપા, ક્રિષ્ના ટાઉનશીપ ૧ થી ૪ વિગેરે વિસ્તારોમાં તા. ૯-૧ર-ર૦રપ ને બુધવારે પાણી વિતરણ કરવામાં આવશે.
આમ, ઉક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની નોંધ લેવા કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગર પાલિકાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial