Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજી ટીમ દ્વારા ૧૬ સાયકલીસ્ટોનું સ્વાગત કરી ઉત્સાહ વધારાયોઃ
ગુજરાત રાજ્યની સીઆઈડી બ્રાંચ શાખા અને રેલવેઝ દ્વારા એનજીઓના સહયોગથી રાજ્યભરમાં નાગરિકોને માદક દ્રવ્યો સામે જાગૃત કરવા માટે ગઈ તા.૧રથી આગામી તા.રર સુધી કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી ૧૪૦૦ કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ સાયકલીસ્ટો જોડાયા છે. આ યુવાનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં જઈ ડ્રગ્સ વિરોધી જાગૃતિ પ્રસરાવી રહ્યા છે. આ સાયકલીસ્ટો ગઈકાલે જામનગર જિલ્લામાંથી પસાર થયા ત્યારે જામનગર એસઓજી ટીમ દ્વારા રણમલ તળાવ પાસે આ સાયકલીસ્ટોનું સ્વાગત કરવા ઉપરાંત તેઓનો ઉત્સાહ વધાર્યાે હતો. સાયકલ રેલી યોજી નશીલા પદાર્થના વેચાણ, હેરાફેરી, સંગ્રહ અને સેવન વિશે વિગતો આપવા ઉપરાંત આવી કોઈ પ્રવૃત્તિ ક્યાંય જોવા મળે તો રાજ્ય સરકારના હેલ્પલાઈન નં.૧૯૦૮ પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial