Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને ઈ-સરકારમાં કાર્યવાહી કરવાનો આદેશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ગુજરાત રાજ્ય કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ખાસ આદેશ બહાર પાડીને તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને તા. ૧૫-૧-૨૬ થી જ તમામ પ્રકારનો પત્ર વ્યવહાર તથા ફાઈલો ઈ-સરકારમાં ઓનલાઈન મોકલવા આદેશ કર્યો છે તથા જો હાર્ડકોપીમાં ફાઈલ કે પત્ર મોકલશો તો નહીં સ્વીકારાય, તેવું સ્પષ્ટપણે જણાવાયુ છે.

સર્વિસબૂક તથા મેડિકલ બીલ સિવાય તમામ પત્રો, ફાઈલો કોમ્પ્યુટર દ્વારા ઈ-સરકાર એપમાં જ મોકલવાના રહેશે. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કોઈપણ પ્રકારની પત્ર, ફાઈલની કાર્યવાહી ઈ-સરકાર એપ સિવાય કરશે તો તેની સામે રાજ્ય સરકારમાં પગલા લેવામાં આવશે તેમ પણ જણાવાયુ છે. ઈ-સરકારમાં ફાઈલો, પત્રો મોકલતા વર્ષે સમગ્ર રાજ્યમાં કરોડોની સ્ટેશનરી તથા ટપાલખર્ચ, વહીવટી ખર્ચ બચશે અને ટપાલમાં ફાઈલો, પત્રો ગૂમ નહીં થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh