Advertisement
Author: નોબત સમાચાર

શ્રી અન્નપૂર્ણા માતાજીના પૌરાણિક મંદિરે હજારો ભક્તોએ લીધો મહાપ્રસાદ

'છોટીકાશી'માં અન્નપૂર્ણા વ્રત નિમિત્તે યોજાયો ધર્મોત્સવઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીના પૌરાણિક મંદિરે શ્રી અન્નપૂર્ણા માતાજીના વ્રત નિમિત્તે શ્રી અન્નપૂર્ણા માતાજી સેવા સમિતિ દ્વારા અન્નકૂટ ઉત્સવ તથા મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતાં. માગશર વદ દશમના દિને ર૧ દિવસીય વ્રત અંતર્ગત પરંપરાગત રીતે રવિવારે અન્નકૂટ ઉત્સવ અંતર્ગત માતાજીને વિવિધ મિષ્ટાન-પકવાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદ્યશક્તિના અન્નદાતા સ્વરૂપના આશીર્વાદ મેળવવા વ્રતધારી બહેનોનો અવિરત પ્રવાહ મંદિરે દર્શનાર્થે ઉમટ્યો હતો. સવારે ૧૧ થી સાંજે પ દરમિયાન વ્રતધારી બહેનો તથા દર્શનાર્થીઓ સહિત હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh