Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે બપોરે સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૧૫: જોડિયા પાસે ગઈકાલે બપોરે ફૂલસ્પીડમાં દોડી જતી એક મોટરે બાઈકને ઠોકર મારતા ઘવાયેલા જોડિયાના બાઈકચાલક પ્રૌઢનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે.
જોડિયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર રવિવારે બપોરે પુરપાટ દોડી જતી એક મોટરની હડફેટે જોડિયાના દિનેશભાઈ નારણભાઈ પરમાર નામના એક્સઠ વર્ષના બાઈકચાલક ચઢી જતા રોડ પર ફેંકાઈ ગયા હતા.
રોડ પર પછડાયેલા દિનેશભાઈને ત્યાં હાજર લોકોએ ૧૦૮ મારફત સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં જોડિયા પોલીસનો કાફલો ધસી આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial