Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લુહારસાર વિસ્તારમાં ગંદકી, કૂતરા, રખડતા ઢોરનો ત્રાસ

મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં વોર્ડ નં. ૧૩ મા લુહારસાર રોડ વિસ્તારમાં ગંદકી, કૂતરા, રખડતા ઢોરના ત્રાસ અંગે આ વિસ્તારના ગુલઝાર ગુલામહુસેન ગરાણાએ તથા લતાવાસીઓએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ત્રાસરૂપ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

આ વિસ્તારમાં દિનેશભાઈ બંગાળીના રહેણાંક મકાનની સામે કચરાનો પોઈન્ટ નહીં હોવા છતાં અહીં કચરો-ગંદકી-એંઠવાડ ફેંકવામાં આવે છે, એકત્ર થાય છે. આ કચરાના ઢગલા પાસે અસંખ્ય ઢોર પડ્યા પાથર્યા રહે છે અને કચરો ચારે તરફ ફેલાવી નાખે છે તેમજ આ ઢોરના કારણે ઢીકે ચડાવાની દહેશત પ્રવર્તે છે. ઉપરાંત આ વિસ્તારમાં કૂતરાઓનો પણ ત્રાસ છે.

આ વિસ્તારમાં ગંદકીના કારણે માખી-મચ્છર-જીવજંતુઓનો ઉપદ્રવ છે અને પરિણામે રોગચાળો ફેલાય તેવી દહેશત પણ પ્રવર્તે છે.

આ તમામ બાબતો અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી કાયમી રાહત થાય તેવા પગલાં લેવા માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh