Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગના નવીનીકરણ માટે રૂ.૩.૨૫ કરોડ મંજૂરઃ
જામનગર તા. ૯: માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૮ કિ.મી. લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૩.૨૫ કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે. વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ તફલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેકટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.ડી., વર્કસ હેઠળ કલ્વર્ટ અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે રાઈનેજ, માર્કસ વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે.
પંચાયત માર્ગ એન મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર બી.આર. વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂ કરવામાં આવી છે અને તે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેભડા, ગોવાદરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઈંધણની બચત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial