Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ તપાસઃ
જામનગર તા. ૯: જામનગરના એક પરિણીતાએ પતિ, સસરા, નણંદ સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના ૧૩ વર્ષ દરમિયાન એક વખત પતિએ આ પરિણીતાને પુત્ર સાથે ઘરમાંથી કાઢી પણ મૂક્યા પછી ગાળો ભાંડી મારકૂટની રાવ કરવામાં આવી છે.
જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા જલ્પાબેન મનસુખભાઈ મારવણીયા નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૨માં પટેલ કોલોનીની શેરી નં.૮માં રહેતા ભાવિનભાઈ ચંદુભાઈ ભેંસદડીયા સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી.
લગ્નના થોડા દિવસ પછીથી પતિ ભાવિન, સસરા ચંદુભાઈ લીંબાભાઈ ભેંસદડીયા, નણંદ પૂર્વીબેન સંદીપભાઈ ચનીયારાએ નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કરી ત્રાસ વર્તાવ્યો હતો. જ્યારે પતિએ મારકૂટ કરી જલ્પાબેનને પુત્ર સાથે ઘરમાંથી પહેરેલા કપડે અગાઉ કાઢી મુક્યા હતા. તે પછી ભાવિનભાઈ પત્નીને છોડીને ચાલ્યા ગયા હતા. ત્રાસ આપતા પતિને સસરા તથા નણંદ પણ સાથ આપતા હોવાથી કંટાળેલા જલ્પાબેને આખરે ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial